મુળી માંડવરાયજી મંદિરે કેલેન્ડર વિમોચનનું આયોજન કરવામાં આવ્યું

મૂળી માં આવેલ પ્રખ્યાત માંડવરાયજીદાદા મંદિર ખાતે આજે સમગ્ર ક્ષત્રિય સમાજ ચોવિસી પરમાર પરિવાર દ્વારા સમગ્ર વિસ્તારનાં ઇતિહાસ તેમજ સમાજનાં કાર્યક્રમ દર્શાવતુ કેલેન્ડર વિમોચન રાજપુત કરણીસેના નાં પ્રદેશઅધ્યક્ષ જે પી જાડેજા તેમજ ભુમીગ્રુપ તેમજ સમાજ અગ્રણી શકિતસિંહ જાડેજાનાં હસ્તે કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે કલાસ વન અધિકારી તરીકે નોકરી મેળવેલ રવિરાજસિંહ પરમારનું સન્માન પણ કરાયુ હતુ. આ પ્રસંગે રાજેન્દ્રસિંહ પરમાર મૂળરાજસિંહ પરમાર વિક્રમસિંહ પ્રદિપસિંહ સહિત સમગ્ર વિસ્તારમાંથી અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.